ખેરગામમાં વિશ્વ હિન્દુ પરિષદની શોર્ય યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ખેરગામ ||
ડાંગના શબરી ધામથી નીકળેલી વિશ્વ હિન્દૂ પરિષદની શોર્ય યાત્રાનું હિન્દૂ રાષ્ટ્રના ખેરગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવી ધજા લઈને ખેરગામના યુવાનો જયશ્રી રામના નારા સાથે આખા ગામમાં ફર્યા હતા. કથાકાર પ્રફુલ શુક્લ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ લીના અમદાવાદી, જીતુ પટેલ, પ્રશાંત પટેલ, આરએસએસ, હિન્દુ યુવા વાહિની પ્રમુખ રીગ્નેશ પારેખ, અંકિત આહીર, દિપક બારોટ સહીત આગેવાનોએ પુષ્પવર્ષા કરી રામજીની પૂજા કરી હતી. સમગ્ર ખેરગામ રામમય બની ગયું હતું. પીએસઆઈ ડી.આર.પઢેરીયા અને પોલીસ સ્ટાફે ખડેપગે ફરજ નીભાવી હતી.રામજી મંદિરથી દશેરા ટેકરી, ભેરવી ચાર રસ્તા હાઈસ્કૂલ સુધી લોકોએ ફૂલ વરસાવીને રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.
0 Comments