ખેરગામના નારણપોર ગામે જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી.
ખેરગામ તાલુકાના નારણપોર ગામના માતા ફળિયા ખાતે જલારામ બાપાની જન્મ જયંતી મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. નારણપોર માતા ફળિયા ખાતે છેલ્લા ૪૧ વર્ષથી જલાબાપાની જન્મ જયંતી ધામધૂમથી ઉજવાઇ છે. આ વર્ષે પણ જલારામ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે બાપાની પ્રભાતફેરી તેમજ સત્યનારાયણ ભગવાનની સમૂહ કથા રાખવામાં કરવામાં આવી હતી. જેમાં મોટી રખ્યમાં ભક્તોએ લાભ લીધો હતો. ત્યાર બાદ સાંજના સમયે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
0 Comments